MSCI ઉભરતા બજારોના સૂચકાંકમાં ભારતનું વેઈટેજ લગભગ બે
વર્ષના તળિયે પહોંચી ગયું છે. સ્થાનિક શેરોના નબળા પ્રદર્શનને કારણે વૈશ્વિક
રોકાણકારો દ્વારા વ્યાપકપણે ટ્રેક થતો આ બેન્ચમાર્કમાં ભારતની સ્થિતિ નબળી પડી છે. ઓગસ્ટના અંતે ભારતનો હિસ્સો 16.21 ટકા રહ્યો, જે
નવેમ્બર 2023
પછીનો સૌથી નીચો સ્તર છે. જુલાઈ 2024માં આ હિસ્સો 20 ટકા
સુધી પહોંચ્યો હતો,
પરંતુ ત્યારબાદ તેમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. તે
સમયે ભારત ચીનથી માત્ર 4.5
ટકા દૂર હતું, પરંતુ
હવે તાઇવાન પછી ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.
MSCI EM ઇન્વેસ્ટેબલ માર્કેટ્સ ઇન્ડેક્સમાં પણ સમાન વલણ જોવા
મળે છે. એક વર્ષ પહેલાં ભારતનું વેઈટેજ 22.3 ટકા
હતું,
જે ઓગસ્ટ 2025 સુધીમાં
ઘટીને 17.47
ટકા થઈ ગયું છે. ગયા 12 મહિનામાં
MSCI
EM ઇન્ડેક્સ 16 ટકા
વધ્યો છે,
જ્યારે ભારતનો નિફ્ટી 50 માત્ર 0.2 ટકા
ઘટ્યો છે,
જેના કારણે ભારતનું સ્થાન નબળું પડ્યું.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ભારતનું પ્રતિનિધિત્વ વધતું રહ્યું છે. જુલાઈ 2024માં 146 કંપનીઓથી
વધીને હાલ 160
કંપનીઓ ચીનમાં
તેજીના કારણે તેનો માર્કેટ કેપિટલાઇઝેશન વધ્યો, જ્યારે
ભારતના અગ્રણી શેરોનું પ્રદર્શન નબળું રહ્યું. તેમ છતાં, નિષ્ણાતો માને છે કે આગામી વર્ષ સુધી ભારતના
પ્રતિનિધિત્વમાં વધારો થઈને 170 કંપનીઓ
સુધી પહોંચે તેવી શક્યતા છે.
પરંતુ ચીનમાં મોટો ઘટાડો ન થાય ત્યાં સુધી ભારતને MSCI EM ઇન્ડેક્સમાં 20 ટકા
હિસ્સો પાર કરવામાં વધુ સમય લાગી શકે છે. આ ઘટાડો ખાસ કરીને મહત્વનો છે કારણ કે MSCI EM ઇન્ડેક્સ 700 બિલિયન
ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા વૈશ્વિક ભંડોળ દ્વારા ટ્રેક કરવામાં આવે છે.
મોર્ગન સ્ટેનલીએ નોંધ્યું છે કે વૈશ્વિક EM ફંડ્સમાં ભારતનું વેઈટેજ હાલમાં સૌથી નીચા સ્તરે છે. નબળી કમાણી, ધીમી વૃદ્ધિ અને યુએસ ટેરિફ જેવા પડકારોને કારણે ભારતીય બજારને લાંબા બોન્ડ, અન્ય EM બજારો અને સોનાની તુલનામાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે.





