ઓબેરોઈ રિયલ્ટીએ તાજેતરમાં
ગોરેગાંવ સ્થિત ઓબેરોઈ ગાર્ડન સિટી પ્રોજેક્ટમાં એલિસિયન ટાવર Dના
લોન્ચ પર રૂ.૯૭૦ કરોડના બુકિંગ નોંધાવ્યા છે, જે કંપનીની વેચાણ ક્ષમતા અને બજારમાં
મજબૂત માંગ દર્શાવે છે. ઓબેરોઈ રિયલ્ટીના શેરમાં તાજેતરમાં ઓપન ઇન્ટરેસ્ટમાં ૧૦.૧%નો
વધારો નોંધાયો છે, જે બજારમાં વધતી રસપ્રદતા અને ભાવમાં વૃદ્ધિની સંભાવના દર્શાવે
છે. ઓબેરોઈ રિયલ્ટીનો નફો વર્ષ ૨૦૨૫માં રૂ.૨૨૨૫.૫૧ કરોડ રહ્યો છે અને આગામી
વર્ષોમાં આવક વૃદ્ધિ દર ૨૭% અને નફાકારકતા વૃદ્ધિ દર ૨૨.૫% રહેવાની અપેક્ષા છે.
કંપનીનો ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો
૦.૨૧ છે, જે તેના નાણાકીય સ્વાસ્થ્યને દર્શાવે છે. ઉપરાંત, કંપનીએ તાજેતરમાં રૂ.૨
પ્રતિ શેર ડિવિડેન્ડ જાહેર કર્યો છે, જે રોકાણકારોમાં વિશ્વાસ વધારવાનું સૂચક છે.
ઓબેરોઈ રિયલ્ટીનું પ્રમોટર હોલ્ડિંગ લગભગ ૬૭% છે, જે કંપનીમાં પ્રમોટર્સનો ઊંડો
વિશ્વાસ દર્શાવે છે. ઉપરાંત, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ની
હિસ્સેદારી પણ સતત વધી રહી છે. માર્ચ ૨૦૨૫ સુધીમાં FII હિસ્સો
લગભગ ૧૭.૩% થયો છે. આ તમામ પરિબળો દર્શાવે છે કે ઓબેરોઈ રિયલ્ટીના શેરમાં આગામી
સમયમાં વધારો થવાની સંભાવના છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને
આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in