એચડીએફસી બેન્ક
બંધભાવ @ ૧૯૨૭
સપોર્ટ ઝોન @ ૧૮૯૦ / ૧૮૭૩
રેસિસ્ટન્સ ઝોન @ ૧૯૪૪ / ૧૯૫૩
એચડીએફસી બેંકના શેરના ભાવમાં આગામી દિવસોમાં
વધારો થવાની શક્યતા અનેક કારણોસર છે. સૌથી પહેલું કારણ એ છે કે બેંકે તાજેતરમાં
મજબૂત ત્રિમાસિક નાણાકીય પરિણામો રજૂ કર્યા છે, જેમાં ડિપોઝિટમાં ૧૪% અને લોન વૃદ્ધિમાં ૫.૪% નો વધારો
થયો છે. આથી, રોકાણકારોમાં બેંક પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
બીજું કારણ
એ છે કે ભારતીય શેરબજારમાં કુલ માંગ વધી રહી છે અને વૈશ્વિક બજારોમાં પણ પોઝિટિવ
ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેની સાથે, યૂએસ તથા અન્ય દેશો સાથે વેપાર સંબંધો
સુધારવા માટેની નીતિઓના કારણે રોકાણકારોની માનસિકતા વધુ સાર્થક બની છે. આ બધાં
પરિબળો મળીને શેરના ભાવમાં વૃદ્ધિના સંકેત આપે છે. તેમ છતાં, વૈશ્વિક આર્થિક
પરિસ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in