May 25, 2026

+91 99390 80808

May 25, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesભારતીય શેરબજારમાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં અંદાજીત ૯૧% રિટેલ રોકાણકારોને નુકસાન...!!

ભારતીય શેરબજારમાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં અંદાજીત ૯૧% રિટેલ રોકાણકારોને નુકસાન…!!

બજાર નિયમનકાર સિકયોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં, ભારતીય શેરબજારમાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં અંદાજીત ૯૧% રિટેલ રોકાણકારોને નુકસાન થયું છે. સેબીએ જાહેર કરેલા એક અભ્યાસમાં જણાવ્યું હતું કે, ભારતમાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં નાના રિટેલ રોકાણકારોનું ચોખ્ખું નુકસાન ૨૦૨૫ સુધીમાં ૪૧% વધીને રૂ. ૧.૦૬ લાખ કરોડથી વધુ થઈ ગયું છે. ગયા વર્ષે ૧ ઓક્ટોબરના રોજ બજાર નિયમનકાર દ્વારા ઇક્વિટી ડેરિવેટિવ્ઝ ફ્રેમવર્કને મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા પગલાંને પગલે રોકાણકારોના નુકસાનમાં ઘટાડો થવા લાગ્યો હોવાના મીડિયા અહેવાલોને પગલે સેબીનો આ અભ્યાસ આવ્યો છે.

સેબીએ જણાવ્યું હતું કે નાના રોકાણકારો અને છૂટક વેપારીઓના રક્ષણ માટે સેબી દ્વારા લેવામાં આવેલા પગલાંમાં લોટ સાઈઝ વધારવાનો પણ સમાવેશ થાય છે. નિયમનકારે જણાવ્યું હતું કે કડક પગલાંના પરિણામે પ્રીમિયમના સંદર્ભમાં ઇન્ડેક્સ ઓપ્શન ટર્નઓવરમાં વાર્ષિક ધોરણે ૯%નો ઘટાડો થયો છે. જોકે, પ્રીમિયમની દ્રષ્ટિએ ઇન્ડેક્સ ઓપ્શન વોલ્યુમ બે વર્ષ પહેલાંની સરખામણીમાં ૧૪% વધ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ફયુચર્સ અને ઓપ્શન્સ (એફએન્ડઓ) માં ટ્રેડિંગ કરતા એક્સક્લુઝિવ રિટેલ રોકાણકારોની સંખ્યામાં વાર્ષિક ધોરણે ૨૦%નો ઘટાડો થયો છે.

દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :-https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular